જીવનને સુખમય બનાવવાના કેટલાક નુસખા :
આંગળીમાં કાંટો વાગે ત્યારે ભગવાનનો ખૂબ આભાર માનો કે તે આંખોમાં નથી લાગ્યો.
ત્રીજા વર્ગમાં પાસ થયા હો તો દુ:ખી ન થાઓ. જે મળ્યું છે તે તમારા પરિશ્રમનું ફળ છે. સારું થયું કે તમારું નામ
નાપાસ થનારાઓમાં નથી.
ચિતા ઓછી કરો.ખેલો-કૂદો વધુ; વાહનમાં ઓછા બેસો; પગથી ચાલો વધુ; નિરાશ ઓછા થાઓ; હસો વધુ;
ખાઓ ઓછું; પચાવો વધુ; ખર્ચ ઓછો કરો; બચાવો વધુ; ઉપદેશ ઓછો આપો; કામ કરો વધુ….
(સૌજન્ય: ઇશા કુંદનિકા લિખિત “ઝરુખે દીવા”)
Leave a comment